18 September 2016

સુવિચાર ભાગ ૨

)જીદગીને કોઇપણ જાતની શરત વગર પ્રેમ કરો.
)તમે નહી ખર્ચેલા નાણાના તમે ચોકીદાર છો, માલીક નથી!
)દુનિયામા દરેક માણસ એમજ સમજે છે કે તે પોતે ચાલાક છે! પરંતુ જ્યારે કુદરતનો તમાચો પડે છે ત્યારે માંની છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય છે! માટે તમારી હોશીયારી તમારી પાસે રાખો!
)જો તમને પહેરવા કપડા, રહેવા ઘર અને બે ટાઇમ અન્ન મળતું હોય તો ઉપરવાળાનો આભાર માનજો તમારાથી બીજા કેટલા સુખી છે તે જોવા કરતા બીજા કેટલા દુઃખી છે તે જોશો તો તમારે માટે સ્વર્ગ અહીં છે!
()તમે પૈસાદાર હો કે ગરીબ બધા અંતે મ્રુત્યુને વરે છે! મુખ્ય વાત તો છે કે તમારી ખોટ કેટલાને પડી? તમારી યાદમા કેટલી આંખો ભીની થઇ!